Astro Tips: ભગવાનને ચઢાવવામાં આવેલી વસ્તુ પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દરેક દેવી દેવતાઓને કેટલાક ભોગ ખૂબ જ પ્રિય હોય છે. જો આ વસ્તુઓને ભોગમાં ધરાવવામાં આવે તો દેવી-દેવતા જ ડપથી પ્રસન્ન થાય છે .
પોતાના ઇષ્ટદેવને ભોગ ચઢાવ્યા પછી પ્રસાદ ગ્રહણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાથી મન શાંત રહે છે. ભગવાનને ચઢાવવામાં આવતા ભોજનની વાત કરીએ તો ભગવાન ગણેશને મોદક ગમે છે, બજરંગ બલીને બુંદીના લાડુ ગમે છે, માતાજી ને હલવો-પુરી ગમે છે. આ સિવાય ત્રણ એવા દેવતાઓ છે જેમને કાજુનો ભોગ ચઢાવવામાં પણ શુભ માનવામાં આવે છે. જો તમે કાજુ ધરાવો છો, તો આ દેવતાઓ તરત જ પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે.
ભગવાન ગણેશજી
આમ તો ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે. પરંતુ જો તમે બુધવારે ભગવાનને કાજુ અર્પણ કરો છો, તો તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેની સાથે બુધ ગ્રહ સાથે જોડાયેલા દોષો પણ દૂર થાય છે.
માતા લક્ષ્મીજી
શાસ્ત્રો અનુસાર, ખીર દેવી લક્ષ્મીજી ને ખૂબ જ પ્રિય છે. પરંતુ જો તમે શુક્રવારે લક્ષ્મીજીને કાજુનો ભોગ ધરાવો છો ઝડપથી પ્રસન્ન થાય છે. શુક્રવારે દેવી લક્ષ્મીજી ને કાજુ અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
ભગવાન શિવજી
શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ પોતાના ભક્તો પર તરત જ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવને સહુથી વધુ દૂધ, દહીં, ભાંગ અને ધતૂરો અર્પણ કરવામાં આવે છે . પરંતુ સોમવારે ભગવાન શિવને કાજુનો ભોગ ધરાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવને કાજુ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે.