Vinayaka Chaturthi 2024 : માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 13 ફેબ્રુઆરી છે. આ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે.
- આ વિનાયક ચતુર્થી માઘ મહિનામાં આવે છે
- આજે આ રીતે કરો ભગવાન ગણેશની પૂજા
- આ દિવસે કરવામાં આવેલ ઉપાયોથી લાભ થશે
- વિનાયક ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. દર મહિનામાં 3 ચતુર્થી છે. એક કૃષ્ણ પક્ષ અને બીજો શુકલ પક્ષ આ વર્ષે માઘ મહિનાની શુક્લ પક્ષ ચતુર્થી 13 ફેબ્રુઆરીએ છે. આ ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે.
- આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. માન્યતા અનુસાર આમ કરવાથી સાધકને વિજય પ્રાપ્ત થાય છે.
- વિનયત ચતુર્થીના ઉપાય
- ભગવાન ગણેશને ધરો ખૂબ જ પ્રિય છે. વિનાયકતુર્થીના દિવસે પૂજા માટે ખાશ ધરોનો મુખ્ય પ્રયોગ કરવામાં આવે છે ગણેશ માટે સમય ફાળવો. પૂજા વખતે ગણેશજીને ધરો અર્પિત કરો આ સમયે ‘શ્રી ગણેશાય નમઃ દૂરવાંકુરા સમર્પયામિ’ મંત્રનો જાપ કરો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ગણપતિ બાપ્પાના આશીર્વાદ મળે છે.
- શમી વૃક્ષની પૂજા
- માન્યતા અનુસાર શમીના ઝાડની પૂજા વિધિપૂર્વક કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. તેવામાં વિનાયક ચતુર્થીના અવસર પર શમી વૃક્ષની પૂજા કરો. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને તેને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.
- આ મંત્રનો જાપ કરો
- જો તમે ભગવાન ગણેશની કૃપા મેળવવા માંગતા હોવ તો વિનાયક ચતુર્થી ખૂબ જ સારો દિવસ છે. આ દિવસે નીચેના મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી દરેક કાર્યોમાં સફળતા મળશે.
- गजानन भूत गणादि सेवितं
- कपिथ जम्बू फल चारू भक्षणम्
- ઉમાસુતં શોક નાશકારકમ્
- નમામિ विघ्नेश्वर पाद पंकजम्
- આ સિવાય વિનાયક ચતુર્થીની તિથિએ ભગવાન ગણેશને ગોળમાં દેશી ઘી મીક્ષ કરીને ભોગ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે આ રીતે ધન પ્રાપ્ત થશે.