ઘણા ભક્તો દરરોજ ભગવાન શિવની પૂજા કરે છે. આ સાથે સોમવારનો દિવસ પણ ભગવાન ભોલે શંકરને સમર્પિત માનવામાં આવે છે. પૂજા દરમિયાન બીલીપત્ર સહિત અનેક વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.
બીલીપત્ર ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર શિવલિંગ પર બિલ્વના પાન ચઢાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
બિલીપત્રને બિલ્વપત્ર પણ કહેવામાં આવે છે. ભગવાન શિવને અર્પણ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે તે ક્યાંય કપાઈ કે ફાટી ન જાય. આ સાથે શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવતા પહેલા તેને સારી રીતે સાફ કરી લેવું જોઈએ.
આ દિવસે બીલીપત્ર તોડશો નહીં
હિંદુ ધર્મમાં બીલીપત્ર તોડવાના કેટલાક નિયમો છે, જે અનુસાર સોમવાર કે ચતુર્દશીના દિવસે બિલી પત્ર તોડવું જોઈએ નહીં. માન્યતાઓ અનુસાર આ દિવસે બીલીપત્ર તોડીને અર્પણ કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે. આ ઉપરાંત બીલીપત્ર કદી ડાળી સાથે તોડવું જોઈએ નહીં.
તેને આ રીતે અર્પણ રજૂ કરો
ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે શિવલિંગ ઉપર પાનની સપાટી સુંવાળી હોવી જોઈએ. તેમજ પાંદડામાં હંમેશા 1, 3 અથવા 5 પાંદડા હોવા જોઈએ. હિંદુ માન્યતાઓ અનુસાર, વેલામાં જેટલા વધુ પાંદડા હોય છે, તેટલું જલ્દી તમને તેના શુભ ફળ પ્રાપ્ત થશે. બિલીપત્ર હંમેશા અનામિકા આંગળી, અંગૂઠો અને મધ્ય આંગળીનો ઉપયોગ કરીને ઉપાડવું જોઈએ.
માન્યતાઓ અનુસાર, બીલીપત્ર કયારેય વાસી થતું નથી. આવી સ્થિતિમાં જો તમારી પાસે બીલીપત્ર ન હોય તો , તમે શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર લઈ શકો છો, તેને સાફ કરી શકો છો અને ફરીથી શિવલિંગ પર અર્પણ કરી શકો છો.